મુલુંડના ઈતિહાસમાં યાદગાર દીક્ષા મહોત્સવ
મુલુંડના ઈતિહાસમાં યાદગાર દીક્ષા મહોત્સવ Posted by Niilesh waghela મુંબઈ: પહેલીવાર ‘જિનશાસનમ્’ Exhibition નું આયોજન પ.પૂ. ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ (પંડિત મ.સા.) ની નિશ્રામાં, રિચાર્ડસન એન્ડ ક્રુડાસ ગ્રાઉન્ડ, મુલુંડ વેસ્ટ ખાતે ૭ ફેબ્રુઆરી થી ૧૧ ફેબ્રુઆરી ના દિવસોમાં ભવ્ય દીક્ષા મહોત્સવનું આયોજન થશે. જેમાં મુમુક્ષુરત્ન મુલુંડ નિવાસી શરદભાઈ ઝવેરી દીક્ષા ગ્રહણ કરશે. આ પ્રસંગે ૪૦ હજાર ચોરસ ફૂટમાં પથરાયેલ ‘જિનશાસનમ્’ પ્રદર્શન લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. સંસાર સમુદ્ર, જિનશાસન રૂપી રાજમહેલ, મોક્ષમાર્ગના ૧૧ પગથિયાં, મનમોહક જિનપ્રતિમાઓ અને પાંચ મહાતીર્થોની વિશાળ રચનાઓ આદિ અનેક આકર્ષણો ઉભા કરવામાં આવશે. ડિજિટલ અને ઈન્ટરએક્ટિવ માધ્યમોનો ઉપયોગ યુવાનો માટે અત્યંત રસપ્રદ બનશે. હેમંત શાહ, જ્યોત પબ્લિક રિલેશન અને ગવરર્મેન્ટ રિલેશન સાથે સંકળાયેલા છે, જે કેનેડામાં સ્થાયી છે અને દીક્ષા પ્રસંગ માટે ખાસ કેનેડાથી આવ્યા છે. તેમણે જણાવ્યું કે દીક્ષા દરમિયાન પ્રથમ વખત જૈન શાસનના મહત્ત્વ વિશે સમજાવતી પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યુગભૂષણ સૂરીજ...