શેરબજાર આ યુદ્ધનો આંચકો પણ પચાવી લેશે: શાહઝાદ મડોન
શેરબજાર આ યુદ્ધનો આંચકો પણ પચાવી લેશે: શાહઝાદ મડોન Posted by Niilesh waghela મુંબઇ: ઇરાન અને અમેરિકા વચ્ચેની અથડામણો વધુને વધુ તીવ્ર બની રહી હોવાથી ક્રૂડ ઓઇલના ભાવ ફરી વધીને બેરલદીઠ ૧૦૦ ડોલર આંબી ગયા હોવાથી શુક્રવારે સેન્સેક્સ વધુ ૧૪૭૦ પોઇન્ટ તૂટ્યો અને નિફ્ટી ૨૩,૧૫૦ની નજીક બંધ થયો હતો. આ ધબડકાને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૦.૪૭ લાખ કરોડનું ધોવાણ થયું છે. પાછલા ત્રણ સત્રમાં સેન્સેક્સમાં લગભગ ૩૭૦૦ પોઇન્ટથી વધુ ધોવાણ થયું છે. આ તરફ નિફ્ટી ઇન્ડેક્સ ૪૮૮.૦૬ પોઇન્ટ અથવા તો ૨.૦૬ ટકાના ઘટાડા સાથે ૨૩,૧૫૧.૧૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. ઇરાને ટ્રમ્પને ચેતવણી આપી છે કે તે અમેરિકાના અર્થતંત્રને ભાંગી નાંખશે. ઇરાને યુદ્ધ રોકાવા માટે અમેરિકા સામે ત્રણ આકરી શરતો પણ મૂકી છે. આની સામે અમેરિકાએ ઇરાનને એવી સજા આપવાની ધમકી આપી છે કે જે આખી દૂનિયા જોતી રહે. આ બધું જોતાં યુદ્ધ વહેલું અટકે એવી શક્યતા જણાતી નથી. બોન્ડ યિલ્ડમાં વધારો અને રૂપિયાની નબળાઇ ઉપરાંત એફઆઇઆઇની એકધારી વેચવાલીએ પણ બજારનું માનસ ખરડી રહી છે. જોકે, ઇક્વિટી માર્કેટ માટે સકારાત્મક આશાવાદ વ્યક્ત કરતાં શેરબજારના પીઢ અભ્યાસુએ ...