સાવધાન, અમેરિકાથી આવી રહ્યું છે માંસાહારી મિલ્ક (Photo of Mumbai Samachar Team Mumbai Samachar Team Follow on XSend an email23rd) નિલેશ વાઘેલા જાણી લો, દૂધની ગંગા ધરાવતા ભારતમાં અમેરિકા જે માંસાહારી દૂધની નાયગ્રા વહાવવા માગે છે તેની નૈતિક- ધાર્મિક અને વ્યાપારી શું છે અસર… ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ માટે વાટાઘાટો ચાલી રહી છે, તેમાં એક મુદ્દો તાજેતરમાં ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે અને તે છે નોનવેજ મિલ્કનો. આપણે પાછલા અંકમાં અહીં એ વિષયને બાહ્ય રીતે આવરી લીધો હતો અને હવે તેમાં આજે થોડા વધુ ઊંડા ઊતરશું! આપણે જાણ્યું હતું કે અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપાર વાટાઘાટોમાં જે ખેંચતાણ કે સોદાબાજી થઇ રહી છે, તેમાં બંને દેશનાં નેતાઓને ખાસ તો તેમની વોટ બેન્કની ચિંતા વિશેષ છે. જોકે, આ ઉપરાંત કેટલીક ધાર્મિક લાગણી, સ્વાસ્થ્યને લગતી બાબતો પણ છે. અમેરિકા તેના દેશના ડેરી ઉત્પાદનો માટે ભારતમાં એકદમ મોકળું મેદાન મેળવવા દબાણ કરી રહ્યું છે. આને કારણે એક અભ્યાસ અનુસાર દૂધ અને તેનાં ઉત્પાદનોના ભાવમાં સીધો પંદર ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના છે અને તેને કારણે ગ્રાહકોને લાભ તથા ભરવાડોને નુકસાનની સંભાવ...
ભાજપના ઉત્તર મુંબઈ એકમના પ્રચાર પ્રસિદ્ધિ પ્રમુખ પદે નીલા રાઠોડ સોનીની પુનઃવરણી Posted by Niilesh waghela મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉત્તર મુંબઈ એકમના પ્રચાર પ્રસિદ્ધિ પ્રમુખ પદે નીલા કનુભાઈ રાઠોડ સોનીની પુનઃવરણી થઈ છે. રાજકીય જાહેર સંપર્ક ક્ષેત્રે નીલાબેન પાછલા ત્રણ દાયકાથી વધુ સમયની કારકિર્દીનો ઇતિહાસ ધરાવે છે. તેમના વર્ક પ્રોફાઈલ અનુસાર જ તેમનો સ્વભાવ હોવાથી રાજકીય પત્રકારત્વ ક્ષેત્રે તેઓ અદકેરું સ્થાન ધરાવે છે. ત્રણ ત્રણ દાયકા કરતા વધુ સમયથી સમયસર અને સચોટ માહિતી પૂરી પાડતા હોવાથી તેઓ પત્રકારોમાં તો લોકપ્રિય છે જ, પરંતુ એ જ સાથે તેઓ સ્વયં દરેક પ્રકારના પ્રસાર માધ્યમના પત્રકારો સાથે સારો ઘરોબો ધરાવતા હોવાથી તેમની કામગીરી પણ સુપેરે નિભાવે છે. ભાજપના સંગઠનમાં સતત 1994થી સક્રિય અને પદાધિકારી રહેલ નીલા બહેને આ અવસરે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સાંસદ શ્રી પિયુષ ગોયલ તેમજ ઉત્તર મુંબઈના ધારાસભ્યો, વિધાનપરિષદ સદસ્ય પ્રવીણ દરેકર, ધા.અતુલ ભાતખલકર, ધા.યોગેશ સાગર, ધા.મનીષા ચૌધરી, ધા.સંજય ઉપાધ્યાય વરિષ્ઠ નેતા ભાઈ ગિરકર, અને ભાજપ ઉત્તર મુંબઈ પ્રમુખ દીપક (બાળા) તાવડેનો ...
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ Posted by Nilesh waghela મુંબઇ: ભારતના કેસરીયા ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની તો ઠીક તેના શેરબજારની હાવત પણ ખરાબ કરી નાંખી અને તેને લોહીલૂહાણ કરીને લાલ રંગે રંગી નાંખ્યું. બુધવારે સમગ્ર ઉપખંડમાં ટ્રેડિંગ સ્ક્રીનો પર ઓપરેશન સિંદૂરનો રંગ સ્પષ્ટ રીતે વિભાજીત થયો હતો, કરાચીમાં તે લોહીયાળ લાલ અને મુંબઈમાં શાંત હરિત બન્યો હતો. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી કેન્દ્રો પર ત્રિપાંખિયો હુમલો શરૂ કર્યો ત્યારે, પાકિસ્તાનનો બેન્ચમાર્ક કેએસઇ-૧૦૦ ઇન્ડેક્સમાં છ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો, જ્યારે ભારતીય શેરબજારો શરૂઆતના ભયને દૂર કરીને અંતે પોઝિટવિ ઝોનમાં આગળ વધ્યા હતા, જે સ્થાનિક બજારમાં રોકાણકારોના વિશ્વાસનો સંકેત આપે છે. પાકિસ્તાનના આતંકવાદી કેન્દ્રો પર ભારતના હુમલા બાદ, પાકિસ્તાની બજારોમાં ધબડકો બોલાઇ ગયો હતો, જે એ નાપાક દેશની આર્થિક નબળાઈઓને પ્રતિબિંબિત કરે છે. તેનાથી વિપરીત, ભારતીય બજારો શરૂઆતમાં ઘટ્યા પરંતુ ઝડપથી સુધર્યા, રોકાણકારોના મજબૂત વિશ્ર્વાસ અને મજબૂત આર્થિક સંભાવના દર્શાવે છે. આ તફાવત બંને અર્...
Comments
Post a Comment