ભાજપના ઉત્તર મુંબઈ એકમના પ્રચાર પ્રસિદ્ધિ પ્રમુખ પદે નીલા રાઠોડ સોનીની પુનઃવરણી Posted by Niilesh waghela મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉત્તર મુંબઈ એકમના પ્રચાર પ્રસિદ્ધિ પ્રમુખ પદે નીલા કનુભાઈ રાઠોડ સોનીની પુનઃવરણી થઈ છે. રાજકીય જાહેર સંપર્ક ક્ષેત્રે નીલાબેન પાછલા ત્રણ દાયકાથી વધુ સમયની કારકિર્દીનો ઇતિહાસ ધરાવે છે. તેમના વર્ક પ્રોફાઈલ અનુસાર જ તેમનો સ્વભાવ હોવાથી રાજકીય પત્રકારત્વ ક્ષેત્રે તેઓ અદકેરું સ્થાન ધરાવે છે. ત્રણ ત્રણ દાયકા કરતા વધુ સમયથી સમયસર અને સચોટ માહિતી પૂરી પાડતા હોવાથી તેઓ પત્રકારોમાં તો લોકપ્રિય છે જ, પરંતુ એ જ સાથે તેઓ સ્વયં દરેક પ્રકારના પ્રસાર માધ્યમના પત્રકારો સાથે સારો ઘરોબો ધરાવતા હોવાથી તેમની કામગીરી પણ સુપેરે નિભાવે છે. ભાજપના સંગઠનમાં સતત 1994થી સક્રિય અને પદાધિકારી રહેલ નીલા બહેને આ અવસરે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સાંસદ શ્રી પિયુષ ગોયલ તેમજ ઉત્તર મુંબઈના ધારાસભ્યો, વિધાનપરિષદ સદસ્ય પ્રવીણ દરેકર, ધા.અતુલ ભાતખલકર, ધા.યોગેશ સાગર, ધા.મનીષા ચૌધરી, ધા.સંજય ઉપાધ્યાય વરિષ્ઠ નેતા ભાઈ ગિરકર, અને ભાજપ ઉત્તર મુંબઈ પ્રમુખ દીપક (બાળા) તાવડેનો ...
નોટબુક પરના જીએસટી દર શૂન્ય થઈ જવા છતાંય છૂટક ભાવ ૧૫થી ૨૦ ટકા વધી જવાની શક્યતા પેપર અને પેપર બોર્ડ પર ૧૮ ટકા જીએસટી થવાથી ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની સર્જાયેલી સમસ્યા પેપર અને નોટબુકની સસ્તી આયાત વધી જવાની દહેશત પેપર અને બુક્સ માટે ૫ ટકા યુનિફૉર્મ જીએસટી રાખવાની માગણી Posted by Niilesh waghela મુંબઈ: જીએસટી કાઉન્સિલે તાજેતરમાં બુક્સ અને નોટબુક્સ પરના જીએસટી દર ઘટાડી શૂન્ય કરેલ છે, પણ પેપર અને પેપર બોર્ડ પરના જીએસટી દર વધારી ૧૮ ટકા કરેલ છે. આ મીસમેચના કારણે ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની સમસ્યા સર્જાઈ છે. આથી કોસ્ટ વધી જવાની અને કાયદાના પાલનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે. આથી નોટબુકોના છૂટક ભાવો ૧૫થી ૨૦ ટકા વધી જવાની શક્યતા છે, એમ ધી એક્સરસાઈઝ બુક્સ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન (મહારાષ્ટ્ર)ના પ્રમુખ અમૃત પી. શાહે જણાવ્યું છે. બુક્સને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે પણ સંબંધીત ઉત્પાદનો જેવાં કે ડાયરી, મેમો પેડ, રજિસ્ટર્ડ કરપાત્ર છે. આથી મીક્સ સપ્લાયના કેસમાં આઈટીસી ટ્રીટમેન્ટ અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે. બોર્ડ પર ૧૮ ટકા જીએસટી છે જ્યારે પ્રિન્ટિંગ પ...
મળો વડોદરાની All-Rounder જીલ ત્રિવેદીને Posted by Niilesh waghela વડોદરાની અંબે CBSE સ્કૂલને, જીલ આશિષ ત્રિવેદી નામે એક નવો સિતારો મળ્યો છે, જેણે SSC CBSE બોર્ડની પરીક્ષામાં (બેસ્ટ ઓફ ફાઈવ) 95% મેળવીને શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે! પણ આ રાતોરાત જાગીને વાંચવાની કે કોઈ જાદુની વાર્તા નથી. જીલનો મંત્ર છે મહેનત અને સાતત્ય. જીલ સફળતા વિષે વાત કરતા કહે છે, મેં ક્યારેય કામ ભેગું થવા દીધું નથી. રોજનું કામ રોજ પૂરું કરવું, નિયમિત રીતે પોતાની કસોટી કરવી અને સમયનું યોગ્ય વ્યવસ્થાપન – આ જ મારી રણનીતિ હતી. તે દૃઢપણે માને છે કે શિસ્તબદ્ધ અને કેન્દ્રિત રૂટિન જ કોઈપણ શૈક્ષણિક લક્ષ્ય માટેનો સાચો શોર્ટકટ છે. એવા દિવસો પણ આવ્યા જ્યારે સ્કૂલ અને ડાન્સ ક્લાસ પછી થાક લાગતો, પણ તો પણ તે એક કલાક માટે પુસ્તકો લઈને બેસતી. રોજ હાજર રહેવાની આ આદતે પરીક્ષા દરમિયાન અભ્યાસક્રમ હળવો લાગ્યો. તેનો દૈનિક રૂટિન સરળ પણ અચૂક હતો. સવારની શરૂઆત સ્કૂલે જતા પહેલાં ઝડપી રિવિઝનથી થતી, સાંજ કોચિંગ અને સ્વ-અધ્યયન વચ્ચે વહેંચાયેલી રહેતી, અને વીકેન્ડ મોક ટેસ્ટ અને ભરતનાટ્યમના રિયાઝ માટે હતા. અભ્યાસ વખતે તેણ...
Comments
Post a Comment