સાવધાન, અમેરિકાથી આવી રહ્યું છે માંસાહારી મિલ્ક (Photo of Mumbai Samachar Team Mumbai Samachar Team Follow on XSend an email23rd) નિલેશ વાઘેલા જાણી લો, દૂધની ગંગા ધરાવતા ભારતમાં અમેરિકા જે માંસાહારી દૂધની નાયગ્રા વહાવવા માગે છે તેની નૈતિક- ધાર્મિક અને વ્યાપારી શું છે અસર… ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ માટે વાટાઘાટો ચાલી રહી છે, તેમાં એક મુદ્દો તાજેતરમાં ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે અને તે છે નોનવેજ મિલ્કનો. આપણે પાછલા અંકમાં અહીં એ વિષયને બાહ્ય રીતે આવરી લીધો હતો અને હવે તેમાં આજે થોડા વધુ ઊંડા ઊતરશું! આપણે જાણ્યું હતું કે અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપાર વાટાઘાટોમાં જે ખેંચતાણ કે સોદાબાજી થઇ રહી છે, તેમાં બંને દેશનાં નેતાઓને ખાસ તો તેમની વોટ બેન્કની ચિંતા વિશેષ છે. જોકે, આ ઉપરાંત કેટલીક ધાર્મિક લાગણી, સ્વાસ્થ્યને લગતી બાબતો પણ છે. અમેરિકા તેના દેશના ડેરી ઉત્પાદનો માટે ભારતમાં એકદમ મોકળું મેદાન મેળવવા દબાણ કરી રહ્યું છે. આને કારણે એક અભ્યાસ અનુસાર દૂધ અને તેનાં ઉત્પાદનોના ભાવમાં સીધો પંદર ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના છે અને તેને કારણે ગ્રાહકોને લાભ તથા ભરવાડોને નુકસાનની સંભાવ...
ભાજપના ઉત્તર મુંબઈ એકમના પ્રચાર પ્રસિદ્ધિ પ્રમુખ પદે નીલા રાઠોડ સોનીની પુનઃવરણી Posted by Niilesh waghela મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉત્તર મુંબઈ એકમના પ્રચાર પ્રસિદ્ધિ પ્રમુખ પદે નીલા કનુભાઈ રાઠોડ સોનીની પુનઃવરણી થઈ છે. રાજકીય જાહેર સંપર્ક ક્ષેત્રે નીલાબેન પાછલા ત્રણ દાયકાથી વધુ સમયની કારકિર્દીનો ઇતિહાસ ધરાવે છે. તેમના વર્ક પ્રોફાઈલ અનુસાર જ તેમનો સ્વભાવ હોવાથી રાજકીય પત્રકારત્વ ક્ષેત્રે તેઓ અદકેરું સ્થાન ધરાવે છે. ત્રણ ત્રણ દાયકા કરતા વધુ સમયથી સમયસર અને સચોટ માહિતી પૂરી પાડતા હોવાથી તેઓ પત્રકારોમાં તો લોકપ્રિય છે જ, પરંતુ એ જ સાથે તેઓ સ્વયં દરેક પ્રકારના પ્રસાર માધ્યમના પત્રકારો સાથે સારો ઘરોબો ધરાવતા હોવાથી તેમની કામગીરી પણ સુપેરે નિભાવે છે. ભાજપના સંગઠનમાં સતત 1994થી સક્રિય અને પદાધિકારી રહેલ નીલા બહેને આ અવસરે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સાંસદ શ્રી પિયુષ ગોયલ તેમજ ઉત્તર મુંબઈના ધારાસભ્યો, વિધાનપરિષદ સદસ્ય પ્રવીણ દરેકર, ધા.અતુલ ભાતખલકર, ધા.યોગેશ સાગર, ધા.મનીષા ચૌધરી, ધા.સંજય ઉપાધ્યાય વરિષ્ઠ નેતા ભાઈ ગિરકર, અને ભાજપ ઉત્તર મુંબઈ પ્રમુખ દીપક (બાળા) તાવડેનો ...
નોટબુક પરના જીએસટી દર શૂન્ય થઈ જવા છતાંય છૂટક ભાવ ૧૫થી ૨૦ ટકા વધી જવાની શક્યતા પેપર અને પેપર બોર્ડ પર ૧૮ ટકા જીએસટી થવાથી ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની સર્જાયેલી સમસ્યા પેપર અને નોટબુકની સસ્તી આયાત વધી જવાની દહેશત પેપર અને બુક્સ માટે ૫ ટકા યુનિફૉર્મ જીએસટી રાખવાની માગણી Posted by Niilesh waghela મુંબઈ: જીએસટી કાઉન્સિલે તાજેતરમાં બુક્સ અને નોટબુક્સ પરના જીએસટી દર ઘટાડી શૂન્ય કરેલ છે, પણ પેપર અને પેપર બોર્ડ પરના જીએસટી દર વધારી ૧૮ ટકા કરેલ છે. આ મીસમેચના કારણે ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની સમસ્યા સર્જાઈ છે. આથી કોસ્ટ વધી જવાની અને કાયદાના પાલનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે. આથી નોટબુકોના છૂટક ભાવો ૧૫થી ૨૦ ટકા વધી જવાની શક્યતા છે, એમ ધી એક્સરસાઈઝ બુક્સ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન (મહારાષ્ટ્ર)ના પ્રમુખ અમૃત પી. શાહે જણાવ્યું છે. બુક્સને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે પણ સંબંધીત ઉત્પાદનો જેવાં કે ડાયરી, મેમો પેડ, રજિસ્ટર્ડ કરપાત્ર છે. આથી મીક્સ સપ્લાયના કેસમાં આઈટીસી ટ્રીટમેન્ટ અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે. બોર્ડ પર ૧૮ ટકા જીએસટી છે જ્યારે પ્રિન્ટિંગ પ...
Comments
Post a Comment