Special offerings @ SAKVAR Gaushala by Prabhavati group

 


પ્રભાવતી ગ્રૂપ દ્વારા ગૌશાળામાં છપ્પનભોગના મનોરથનું આયોજન

Poated by: Nilesh waghela

મુંબઈ:  પ્રભાવતી ગૌશાળા ગ્રૂપ દ્વારા વિરાર ખાતે સકવાર ગૌશાળામાં છપ્પનભોગના મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે આ મંડળના સૌ સભ્યોએ ગૌમાતાની સેવાનો લાભ લીધો હતો.


આ સમાજસેવી સંસ્થા દર મહિનાના પ્રથમ શનિવારે ગૌશાળામાં ગાયમાતાને લીલા ઘાસથી માંડી કલિંગર અને લાડુ લાપસી પીરસવા ઉપરાંત  તેમની સારસંભાળ અને સુખાકારી માટે અન્ય વ્યવસ્થાનું આયોજન પણ કરે છે. 

તાજેતરમાં જ સંસ્થાએ નવી પ્રવૃત્તિ અંતર્ગત સમાજના નીચલા વર્ગ માટે અનાજ અને અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓના વિતરણ નું આયોજન પણ કર્યું હતું. 

સેવાકાર્યના ઉદ્દેશ સાથે આંગળીના વેઢે ગણાય એટલા કાર્યકરો દ્વારા રચાયેલા આ બિનસરકારી સંગઠનમાં અનેક લોકો જોડાતા સંગઠન ક્રમશઃ મોટા વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.

Comments

Popular posts from this blog

Women's day: Bhartiya Nari - strong, resilient and Inspiring

Beware, non-veg milk is coming

INDO- PAK WAR: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ